(N/A) $\rightarrow$ એનિલિડા જલીય (મીઠા અને ખારા પાણીમાં) અથવા સ્થળજ હોઈ શકે છે; તેઓ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી હોય છે.
$\rightarrow$ તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન અને દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે.
$\rightarrow$ તેઓ ત્રિગર્ભસ્તરીય,ખંડમય રચના ધરાવતા અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$\rightarrow$ તેમની શરીરની સપાટી સ્પષ્ટ રીતે ખંડો અથવા ખંડકોમાં વિભાજિત હોય છે,તેથી જ આ સમુદાયનું નામ એનિલિડા (લેટિન,annulus - નાની રીંગ) પડ્યું છે.
$\rightarrow$ તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે જે પ્રચલનમાં મદદ કરે છે.
$\rightarrow$ $Nereis$ જેવા જલીય એનિલિડા પાર્શ્વ ઉપાંગો,જેને પાદપાદ (parapodia) કહે છે,તે ધરાવે છે જે તરવામાં મદદ કરે છે.
$\rightarrow$ બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
$\rightarrow$ ઉત્સર્ગિકાઓ (nephridia) આશૃતિનિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે.
$\rightarrow$ ચેતાતંત્રમાં જોડમાં રહેલી ચેતાકંદો (ganglia) હોય છે જે પાર્શ્વ ચેતાઓ દ્વારા બેવડી વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલી હોય છે.
$\rightarrow$ $Nereis$,જે જલીય સ્વરૂપ છે,તે એકલિંગી છે,પરંતુ અળસિયા અને જળો ઉભયલિંગી છે.
$\rightarrow$ પ્રજનન લિંગી પ્રકારનું હોય છે.
$\rightarrow$ ઉદાહરણ: $Nereis$,$Pheretima$ (અળસિયું) અને $Hirudinaria$ (રુધિર આહારી જળો).